શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ યજ્ઞોપવિત સમિતિ-ભાવનગર

યજ્ઞોપવિતની માહિતી
૪૨ મો સમૂહ યજ્ઞોપવિત સમારંભ

આયોજક:
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ યજ્ઞોપવિત સમિતિ-ભાવનગર

સ્થળ:
સ્થળ-ટીમાણા, તા. તળાજા, જિ. ભાવનગર

તારીખ:
22/02/2026, રવિવાર

સંપર્ક નંબર:
+91 9428810071, +91 9427202570, +91 9879416225

વિધીના દિવસે પહોંચ સાથે લાવવાની રહેશે.

મહત્વપૂર્ણ નિયમો:
  • બટુક દીઠ રકમ રૂ. ૨૫૦૦
  • બટુકના પિતાએ ધોતી અને માતાએ પીળા કલરની સાડી પહેરવી ફરજીયાત છે.
  • બટુકનાં વાલીઓને વિધીમાં આસન-૩, થાળી-૧, વાટકા-૫, ત્રાંબાનોલોટો, રકાબી-૨, ચમચી-૨, કંકાવટી-ઘાટ(ચુંદડી), વાન-પીઠીની સામગ્રી ઘરેથી સાથે લાવવાની રહેશે.
  • ગણપતિની મૂર્તિ સાથે લાવવાની નથી.
  • પસનું શ્રીફળ સહિત તમામ વિધીનો પૂજાપો આયોજકો તરફથી આપવામાં આવશે.
  • સમૂહમાં પસ વધાવવો-મામેરૂ ભરવું સહિત કોઈ વ્યવહાર કરવાનો નથી. વાલી પોતાના ઘરે ભોજન સમારંભ ગોઠવી શકશે નહીં.
  • બટુકના વાલીએ મહેમાનોની સંખ્યાની જાણ કાર્યાલયને કરવાની રહેશે.
  • બટુકના વાલી દીઠ પાંચ સ્વયંસેવકો આપવાના રહેશે.
  • બટુકનો પસ-વાના-પીઠી-ચાકડો વધાવવો-વાળ ઉતરાવવા સહિતની વિધી સમૂહમાં કરવાની રહેશે.
  • કંકોત્રીમાં લખેલ સમય જાળવવાની જવાબદારી બટુકના વાલીની રહેશે.
  • નિમંત્રણ પત્રિકા કાર્યાલયથી ૧૫ દિવસ અગાઉ મર્યાદિત સંખ્યામાં ફાળવવામાં આવશે. આયોજકોને સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.
નોંધ: મોબાઇલ નંબર દ્વારા આ ફોર્મ એક જ વાર સબમિટ કરી શકાશે.
ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો