વિજુબેન લાભશંકરભાઈ રમણા
મૃત્યુ: 16/07/2026, Thursday
ચુડી
ઉંમર: 75
ચુડી નિવાસી સ્વ. વિજુબેન લાભશંકરભાઈ રમણા ઉંમર વર્ષ:- ૭૫ નું આજ રોજ તા:- ૧૬/૦૭/૨૦૨૬ ને ગુરૂવાર અષાઢ સુદ બીજ ના રોજ અવસાન થયેલ છે. તેઓ લાભશંકરભાઇ મથુરામભાઇ રમણા ના ધર્મ પત્ની થાય. તેમજ રમણા મનસુખભાઈ લાભશંકરભાઈ (શિક્ષક શ્રી દિહોર પ્રાથમિક શાળા) તેમજ મુનાભાઈ લાભશંકરભાઇ તથા ત્રાપજ નિવાસી ગં.સ્વ. શારદાબેન હીરજીભાઈ જાળેલા ના માતૃશ્રી થાય. તથા દિનેશભાઈ, સુરેશભાઈ, શંભુભાઈ, સ્વ. મંજુબેન પ્રાણશંકરભાઈ ધાંધલ્યા - દિહોર, રેખાબેન ગીરીશભાઈ પંડ્યા - ઘાટરવાળા ના ભાભુ થાય. તથા પંડ્યા મુક્તાબેન પરષોત્તમભાઈ - અગીયાળી, જાળેલા બબુબેન ભાનુભાઈ - ત્રાપજ ના મોટા બેન થાય. તથા સ્વ. હીરજીભાઈ ધનજીભાઈ જાળેલા - ત્રાપજના સાસુ થાય.
ચુડી નિવાસી સ્વ. લલ્લુભાઈ અમરજીભાઈ જાનીની દીકરી થાય. તથા છગનભાઇ, બોઘાભાઈ, સ્વ. ભુપતભાઈ, નાનજીભાઈ, રમેશભાઈ લલ્લુભાઈ જાનીના બહેન થાય. તેમજ જાની કલ્યાણભાઈ વાલજીભાઈ ના દાદા ની દીકરી થાય.
સ્વ. નો લૌકીક વ્યવહાર (બેસણું) તા:- ૧૯ અને ૨૦/૦૭/૨૦૨૬ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને ચુડી મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૦/૦૭/૨૦૨૬ ને સોમવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages