ગાંધીનગર : સ્નેહમિલન અને સન્માન સમારોહ - 2024

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - ગાંધીનગરમાં સ્નેહમિલન સમારોહ - 2024 અને સન્માન સમારોહનું આયોજન માનનીય પ્રમુખશ્રી નરોતમભાઈ ધાંધલ્યા, યુવા પ્રમુખશ્રી  વિપુલભાઈ દવેનાં અધ્યક્ષ સ્થાને ગોઠવવામાં આવેલ જેમાં આપણી 52 ગામની જ્ઞાતિમાંથી નોકરીયાત ભાઈઓ અને બહેનો તેમજ  વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ સૌ કોઈનો સાથ અને સહકારથી સરસ મજાનું આયોજન જમણવાર સાથે નિર્વિઘ્ન પૂર્ણ થયું છે. સમાજમાં પ્રથમવાર જોવા મળ્યું જાણેકે ઊડીને આંખે વળગે તેમ પાલીવાળ બ્રહ્મ સમાજના ક્લાસ વન અને ટુ અધિકારીનો કાફલો આખો ત્યાં ખડકાઈ ગયો હોય......... અધિકારીઓએ પોતાના કિંમતી સમય સમાજ માટે ફાળવ્યો તે બદલ ખુબ ખુબ હૃદય પૂર્વક ધન્યવાદ..... તેમજ સમાજના નાના મોટા તમામ બહેનો, દીકરીઓ, માતાઓ, ભાઈઓ અને વડીલો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ તમામનો ખુબ ખુબ હૃદયપૂર્વક અભિનંદન......... સમસ્ત જ્ઞાતિજનો વતી ગાંધીનગર રહેતા તમામ ની સંગઠન શક્તિ માં સતત વધારો થતો રહે તેવી દેવાધી દેવ મહાદેવ પાસે પ્રાર્થના.

Share on:

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.