દાદા-દાદીનું વહાલ : બાળક માટે આશીર્વાદ કે અવરોધ ?
દાદા-દાદી સાથે બાળક માત્ર મોટું થતું નથી; તે વાર્તા, સંસ્કારો, સંબંધો અને લાગણીઓ વચ્ચે ઉછરે છે. ક્યારેક એ દાદા-દાદી બાળક જે માંગે એ તરત જ હાજર કરી દે છે ત્યારે પ્રશ્ન એ છે કે આ વહાલ બાળકને પાંખો આપે છે કે તેના પગની બેડીઓ બની જાય છે ?એક બાળક જ્યારે દાદા-દાદીની આંગળી પકડીને ચાલતા શીખે છે ત્યારે કદાચ તેને ખબર પણ નથી હોતી કે તે માત્ર ચાલવાનું જ નહીં, પરંતુ એક આખી પેઢી સાથે જોડાવાનું શીખી રહ્યું છે. દાદાની વાર્તાઓ, દાદીના હાથનું ભોજન, જૂના સમયના સંસ્મરણો, તહેવારોની પરંપરાઓ અને બિનશરતી પ્રેમ બાળકના બાળપણને ભાવનાત્મક રીતે સમૃદ્ધ બનાવે છે. ભારતીય કુટુંબવ્યવસ્થામાં દાદા-દાદી માત્ર પરિવારના વડીલ નથી; તેઓ ઘણી વાર “ભાવનાત્મક સુરક્ષાનોઆધાર” બની જાય છે. માતા-પિતા નોકરી કે વ્યવસાયમાં વ્યસ્ત હોય ત્યારે બાળકની સંભાળ રાખવી, તેને શાળાએ મૂકવા-લાવવા, ખવડાવવું, વાર્તા કહેવી, હોમવર્કમાં મદદ કરવી અને સૌથી મહત્ત્વનું તેને સમય આપવો આ બધામાં દાદા-દાદીની ભૂમિકા અત્યંત મહત્વની બની શકે છે. પરંતુ દરેક વહાલ લાભદાયી હોય એવું જરૂરી નથી. જ્યારે વહાલ સાથે અતિશય લાડ, દરેક માંગણી પૂરી કરવાની ટેવ, માતા-પિતાના નિયમોનો વિરોધ, બાળક સામે માતા-પિતાની ટીકા અથવા “અમારા સમયમાં આવું નહોતું” જેવી વિચારસરણી જોડાય છે, ત્યારે એ જ વહાલ બાળકના વિકાસ માટે પડકાર બની શકે છે. આથી પ્રશ્ન દાદા-દાદી સારા કે ખરાબ? એવો નથી. સાચો પ્રશ્ન એ છે કે, દાદા-દાદી બાળકના ઉછેરમાં કઈ ભૂમિકા ભજવે છે અને તે ભૂમિકા કેટલી સંતુલિત છે ?મારા એક લેખમાં બાળકના ઉછેરમાં પરિવારની ભૂમિકા વિશે લખ્યું ત્યારે એક માતાનો મને લાંબો મેસેજ આવેલો. તેમની વ્યથા હતી કે ઘરે અતિશય લાડકોડથી તેમના સાસુ સસરા તેમના બાળકને બગાડી રહ્યા છે. તેમની વાતમાં અસહ્ય પીડા હતી. એમની સમસ્યા વાચ્યા પછી થયું કે ખરેખર ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે પણ પેરેન્ટિંગ વર્કશોપ કરવાની જરૂર છે..!સંશોધનોમા સ્પષ્ટ થયું છે કે, બાળઉછેરમાં દાદા-દાદીની અસર સમજવા માટે માત્ર તેઓ કેટલો સમય બાળક સાથે રહે છે એ પૂરતું નથી; તેઓ બાળક સાથે શું કરે છે ? કેવી રીતે કરે છે ? પરિવારમાં પરસ્પરના સંબંધો કેવા છે ? ઘરમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે તિરસ્કારભર્યું વર્તન થતું હોય તો તેની અસર સીધી બાળક સાથેના તેના વ્યવહાર પણ થાય છે. તેવી જ રીતે ઘરમાં વડીલોને પૂરતું માન સન્માન અને આદર આપવામાં આવતું હોય તો બાળક સાથે તેમનો વ્યવહાર પણ એવો જ પ્રેમાળ રહે છે. આ બધી બાબતો ખૂબ અગત્યની છે.દાદા-દાદીનું હોવું એટલું જ પૂરતું નથી. તેમની બાળકના ઉછેરની ગુણવત્તા, સમજણ, વ્યવહાર, તેમનું પોતાનું માનસિક સ્વાસ્થ્ય પણ બાળક પર બહુ મોટી અસર ઉભી કરે છે. અનુભવે જોયું છે કે નાની ઉંમરના બાળકો જે જુએ છે તે કરે છે આ સમયે દાદા દાદીની કુટેવ કે અયોગ્ય વ્યવહાર બાળકના વર્તનનું કારણ બને છે. બદલાતા સમય સાથે ફ્લેક્સિબલ રહેતા ગ્રાન્ડ પેરેન્ટ્સ સૌને ગમે છે. પરંતુ જીવનમાં કોઈ બાંધછોડ ન કરતા, જીદ્દી, પોતાનું ધાર્યું જ કરવા ટેવાયેલા, પુત્ર અને પુત્રવધૂને હંમેશા સલાહ આપનારા, પોતાની જ સિદ્ધિઓની વાહવાહી કરવામાં રચ્યાપચ્યા રહેતા, પોતાના જમાનાને જ શ્રેષ્ઠ ગણાતા, ઘરને અસ્તવ્યસ્ત રાખતા, કુટેવ કે વ્યસન ધરાવતા દાદા દાદીઓ નવી પેઢીના પુત્ર-પુત્રવધૂને બિલકુલ ગમતા નથી. મારી દ્રષ્ટિએ બે પેઢી વચ્ચેની સુસંવાદિતા જીવનની અમૂલ્ય ભેટ છે. જે પરિવારમાં બંને પેઢી વચ્ચેનો સમાયોજન સુખમય હોય છે ત્યાં ત્રીજી પેઢી અત્યંત પ્રેમ, આનંદ અને સમૃદ્ધિ સાથે ઉછરે છે.મમ્મી મને ઠપકો આપશે તો દાદી સાંભળશે. પપ્પા વ્યસ્ત હશે તો દાદા મારી વાત સાંભળશે.” આ લાગણી બાળકમાં ભાવનાત્મક સ્થિરતા લાવે છે. દાદા-દાદી બાળકની વાત ધ્યાનથી સાંભળે, તેની લાગણીઓને સન્માન આપે અને તેની નાની-મોટી સમસ્યાઓને હસવામાં ન ઉડાવે તો બાળકમાં પોતાની વાત વ્યક્ત કરવાની ક્ષમતા વિકસે છે. આવા સમયે દાદા દાદીનું વહાલ આશીર્વાદરૂપ બને છે. પરંતુ આજના સમયમાં બાળકને પ્રેમ આપવાનો એક સરળ રસ્તો બની ગયો છે તે જે માંગે તે ખરીદી આપવું. બાળકને ચોકલેટ જોઈએ ? મોબાઇલ જોઈએ? રમકડું જોઈએ? પૈસા જોઈએ? બધું જ લઈ આપે. પરંતુ બાળકને વસ્તુ આપવી અને સમય આપવો આ બંને બહુ અલગ બાબતો છે. ઘણીવાર પેન્શન મેળવતા દાદા દાદી બાળકને માતા-પિતા કરતા વધારે વસ્તુઓ લાવી દે છે ત્યારે તે બાળકોને પ્રિય તો બને છે પરંતુ સાચા અર્થમાં તે તેનું અહિત પણ કરી રહ્યા છે..! કેમ કે વાસ્તવિક જીવનમાં બધું આટલી સરળતાથી પ્રાપ્ત થવાનું નથી..!સૌથી સારા દાદા-દાદી એ નથી જે બાળકને માતા-પિતાથી “બચાવે”. સૌથી સારા દાદા-દાદી એ છે જે બાળકને માતા-પિતા સાથે વધુ સારો સંબંધ બનાવવામાં મદદ કરે. માતા જ્યારે કરે કે હવે મોબાઈલ જોવાનું બંધ કરીએ ત્યારે તેના સમર્થનમાં દાદી પણ કહે કે હા બેટા, મમ્મી સાચું કહે છે. ચાલ, આપણે સાથે મળીને કંઈક બીજું કરીએ.મોબાઈલ મૂકી દઈએ. આ એક વાક્ય નહીં પરંતુ કો- પેરેન્ટિંગની પાયાની શરત છે. દાદા-દાદી પાસે જીવનનો એવો અનુભવ હોય છે જે કોઈ પુસ્તકમાં મળતો નથી. પૈસાની કિંમત, ધીરજ, સંબંધોનું મહત્વ, નિષ્ફળતાને સ્વીકારવાની કળા, વ્યક્તિ અને સંબંધોનું સન્માન, મહેનત, સંતોષ આ જીવનમૂલ્યો બાળકના ભવિષ્ય માટે સંજીવની બની શકે છે. પરંતુ એક શરત છે કે, ઉપદેશ ઓછો અને અનુભવ વધુ આપીએ.સમસ્યા “વહાલ”માં નથી.સમસ્યા અતિશય અને અસંતુલિત વહાલમાં છે. દાદા-દાદી અને માતા-પિતા વચ્ચેનો સૌથી સામાન્ય સંઘર્ષ એ છે કે જ્યારે કોઈ એક પક્ષ એવું કહે છે કે બાળકને કઈ કહેવાનું નહીં. માતા કહે, બેટા, પહેલા હોમવર્ક કર. દાદી કહે, જવા દે, આખો દિવસ ભણે છે. પહેલાં ખાઈ લે. માતા કહે: ચોકલેટ નહીં અને દાદા ચુપચાપ ચોકલેટ આપી દે. માતા કહે: રાત્રે મોબાઇલ નહીં.દાદા કહે: થોડું જોઈ લેવા દે. આવું થવાથી બાળક ખૂબ ઝડપથી સમજી જાય છે કે કયા નિયમ માટે કોની પાસે જવું ? બેવડી સ્થિતિમાં બાળકને નિયમો સમજવામાં મુશ્કેલી પડે છે અને તે ઘણી વાર નિયમને બદલે વ્યક્તિ પ્રમાણે વર્તવાનું શીખી જાય છે. જ્યારે માતા-પિતાની સામે દાદા-દાદીનું પક્ષપાતી રક્ષણ મળે ત્યારે બાળક માટે ગ્રાન્ડ પેરેન્ટિંગ નુકસાનકારક સાબિત થાય છે.“તારી મમ્મીને તો કંઈ આવડતું જ નથી”,“તારા પપ્પા બહુ કડક છે”, “અમારા સમયમાં આ રીતે બાળકો ઉછેરાતા”,“મારી પાસે આવ, હું તને કંઈ નહીં કહું.”આવા વાક્યો બાળકના મનમાં બે સત્તાકેન્દ્ર ઊભા કરે છે. એક તરફ માતા-પિતા.બીજી તરફ દાદા-દાદી અને બાળક વચ્ચે ઉભું રહે છે. આ સ્થિતિ સમગ્ર પરિવાર માટે સંઘર્ષ અને પડકાર બની શકે છે. ક્યારેક દાદા-દાદીનું વહાલ એટલું રક્ષણાત્મક બની જાય છે કે બાળક પોતાની ભૂલના પરિણામોથી બચી જાય છે. બાળકે વસ્તુ તોડી? “બાળક છે, થઈ ગયું.” બાળકે ભાઈને માર્યો? “બંને બાળકો છે.” બાળકે શિક્ષક સાથે ખરાબ વર્તન કર્યું? “શિક્ષકોએ પણ સમજવું જોઈએ.” દાદા-દાદી દ્વારા આવા સંવાદો થાય ત્યારે ગ્રાન્ડ પેરેન્ટિંગ બાળકના ઉછેરમાં અવરોધરૂપ બને છે.શીખવા જેવું : આપણું વહાલ બાળકને ભૂલમાંથી બચાવવા માટે નહીં, ભૂલમાંથી શીખવવા માટે હોવુ જોઈએ.સંદર્ભ સાકાર :-ડૉ.કૃણાલ પંચાલક્ષણે ક્ષણ શિક્ષણ, ગાંધીનગર સમાચાર
15 મિનિટ પેહલા
પાલીવાલ બ્રાહ્મણ સમાજ (ગુજરાત) - કેન્દ્રીય બંધારણ
પાલીવાલ બ્રાહ્મણ સમાજ (ગુજરાત) માટેનું આ એક વ્યાપક અને સુવ્યવસ્થિત બંધારણીય માળખું (Constitution Plan) છે. આ માળખું સમાજના દરેક સભ્યને ગામ અને શહેર કક્ષાએથી લઈને કેન્દ્રીય વહીવટ સાથે જોડવા અને શૈક્ષણિક, વ્યાવસાયિક તથા સામાજિક સ્તરે ઉત્કૃષ્ટ પ્રગતિ કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.પાલીવાલ બ્રાહ્મણ સમાજ (ગુજરાત) - કેન્દ્રીય બંધારણ૧. નામ, મુખ્ય મથક અને વિસ્તારસંસ્થાનું નામ: શ્રી પાલીવાલ બ્રાહ્મણ સમાજ (ગુજરાત)કેન્દ્રીય મુખ્ય મથક (Head Office): ભાવનગર શહેર, ગુજરાત.કાર્યક્ષેત્ર: ગુજરાતના તમામ શહેરો (Cities) અને ગ્રામ્ય વિસ્તારો (Villages).મુખ્ય ઉદ્દેશ્ય: સમગ્ર ગુજરાતમાં વસતા તમામ પાલીવાલ બ્રાહ્મણ પરિવારનો સચોટ સેન્સસ (ડેટા) તૈયાર કરવો, શિક્ષણ, રોજગાર, બિઝનેસ અને સામાજિક કલ્યાણના કાર્યક્રમોને ડિજિટલ તથા સ્થળ પર (On-ground) સુવિધાઓ દ્વારા ઘર-ઘર સુધી પહોંચાડવા.૨. વહીવટી માળખું અને વ્યવસ્થાપનસમાજના દરેક સભ્યને પોતના જ વિસ્તારમાં સેવાઓ મળી રહે અને ભાવનગર મુખ્ય મથક સુધી રૂબરૂ આવવું ન પડે તે માટે દ્વિ-સ્તરીય (Two-Tier) સુદ્રઢ વહીવટી માળખું અમલમાં મૂકવામાં આવશે:(A) કેન્દ્રીય મુખ્ય કાર્યાલય (ભાવનગર Head Office)૧. સમગ્ર ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓના સભ્યોનો સર્વગ્રાહી સેન્ટ્રલ રેકોર્ડ (ડિજિટલ અને ફિઝિકલ) જાળવશે. ૨. કેન્દ્રીય નીતિ-નિયમો, નાણાકીય આયોજન અને રાજ્યસ્તરના પ્રોજેક્ટ્સનું સંચાલન કરશે. ૩. તમામ સ્થાનિક સેવા સદન ઓફિસોનું સુપરવિઝન કરશે.(B) સ્થાનિક સ્તર: 'પાલીવાલ બ્રાહ્મણ સેવા સદન' (તમામ શહેરો અને ગામડાઓમાં)દરેક ગામ અથવા શહેરના ચોક્કસ વિસ્તાર (Zone/Area) માં એક "પાલીવાલ બ્રાહ્મણ સેવા સદન" કાર્યાલય સ્થાપવામાં આવશે.સ્થાનિક કમિટીની રચના (કુલ ૫ સભ્યો):૧ મુખ્ય વ્યક્ત (પ્રમુખ/મુખિયા): જે તે ગામ કે શહેરના વહીવટના મુખ્ય જવાબદાર વ્યક્તિ.૪ કોર સભ્યો (Core Members): જેઓ મુખ્ય વ્યક્તિ સાથે મળીને નીચે મુજબની જવાબદારીઓ સંભાળશે:સભ્ય નોંધણી અને ડેટા કલેક્શન: પોતાના વિસ્તારના નવા જન્મેલા, પરિણમેલા કે સ્થળાંતરિત સભ્યોનો રેકોર્ડ એકત્ર કરી ભાવનગર હેડ ઓફિસ મોકલવો.સ્થાનિક સેવાઓ: નામ દાખલ કરાવવું, પ્રમાણપત્ર ચકાસણી, દાખલા આપવા તથા સ્થાનિક પ્રશ્નોનું નિવારણ કરવું.અરજી નિર્દેશન: સ્થાનિક કક્ષાએથી જ તમામ કાગળોની ચકાસણી કરી કેન્દ્રીય કાર્યાલયમાં ઓનલાઈન/ઓફલાઈન સબમિટ કરવા.૩. શૈક્ષણિક અને કારકિર્દી વિકાસ પ્રોજેક્ટ્સ(A) PALIWAL BRAHMIN HELPING LIBRARY PROJECTહેતુ: સમાજના દરેક વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષા, બોર્ડ પરીક્ષા અને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી તમામ પુસ્તકો મફત અથવા ટોકન દરે ઉપલબ્ધ કરાવવા.પુસ્તક એકત્રીકરણ (Book Collection Drive):અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા સભ્યો પાસેથી ઉપયોગી પુસ્તકો એકત્રિત કરવા.ભાવનગર હેડ ઓફિસ અને દરેક સેવા સદન ખાતે એક લાઈબ્રેરી વિભાગ બનાવવો.(B) માસિક ₹૧૦ દાન સેવા યોજના (Monthly ₹10 Donation Scheme)માળખું: સમાજના દરેક કમાતા સભ્ય અથવા પરિવાર દીઠ માસિક માત્ર ₹૧૦ નું સ્વૈચ્છિક દાન એકત્ર કરવું.ઉપયોગ:આ ભંડોળનો ઉપયોગ માત્ર ને માત્ર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી, સ્કોલરશિપ, લાઈબ્રેરીના નવા પુસ્તકો અને શૈક્ષણિક સહાય માટે જ થશે.તમામ હિસાબ ઓનલાઈન પોર્ટલ પર પારદર્શક રીતે જાહેર કરવામાં આવશે.(C) "એક જ પ્લેટફોર્મ" - મેન્ટરશિપ અને કારકિર્દી માર્ગદર્શનએક્સપર્ટ નેટવર્ક: સમાજના ઉચ્ચ હોદ્દાઓ (UPSC, GPSC, ક્લાસ ૧-૨ અધિકારીઓ, પ્રોફેસરો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ) પર કાર્યરત સભ્યોનું એક કેન્દ્રીય નેટવર્ક બનાવવું.સુવિધા:વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વેબિનાર, વન-ઓન-વન મેન્ટરશિપ અને નવોદય/રોજગાર માર્ગદર્શન સેમિનાર.નવા કોર્સ, ભવિષ્યના ટ્રેન્ડ્સ અને વૈશ્વિક તકો અંગે સતત માહિતી પૂરી પાડવી.૪. વ્યાપાર, સ્ટાર્ટઅપ અને રોજગાર વ્યૂહરચના (Business & Job Strategy)સમાજનો દરેક યુવાન આર્થિક રીતે સક્ષમ બને અને ભારતના તમામ ક્ષેત્રોમાં સ્થાન મેળવે તે માટેની યોજના:(A) પાલીવાલ બિઝનેસ એન્ડ સ્ટાર્ટઅપ ફંડ (Fund & Mentorship)૧. બિઝનેસ પ્લાન સબમિશન: નવો આઈડિયા કે સ્ટાર્ટઅપ ધરાવતા યુવાનો પોતાના બિઝનેસ પ્લાન કેન્દ્રીય બોડી સમક્ષ રજૂ કરી શકશે. ૨. ફંડિંગ સહાય: સમાજના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો દ્વારા યોગ્ય બિઝનેસ મોડેલને ફંડ અથવા લોન સહાય પૂરી પાડવામાં આવશે. ૩. માર્ગદર્શન: અનુભવી વેપારીઓ દ્વારા નવા બિઝનેસ શરૂ કરવા માટે માર્કેટિંગ, લીગલ અને ઓપરેશનલ ગાઈડન્સ અપાશે.(B) 'સમાજ જોબ પોર્ટલ' (100% Employment Mission)૧. સમાજના જે ઉદ્યોગપતિઓ, કંપની માલિકો કે ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ છે, તેઓ પોતાની સંસ્થામાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી કેન્દ્રીય પોર્ટલ પર મૂકશે. ૨. સમાજના લાયકાત ધરાવતા બેરોજગાર યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપી રોજગારી સુનિશ્ચિત કરવામાં આવશે.૫. સામાજિક કલ્યાણ અને ડિજિટલ સેવાઓ(A) ઓનલાઈન સેવાઓ અને ડિજિટલ પોર્ટલ૧. જીવનસાથી પસંદગી: ઓનલાઈન મેટ્રિમોનિયલ પોર્ટલ, જ્યાં સભ્યો સુરક્ષિત રીતે યોગ્ય પાત્રની પસંદગી કરી શકશે. ૨. સમાજ ગૌરવ એવોર્ડ: શૈક્ષણિક, રમતગમત કે અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરા-દીકરીઓનું વાર્ષિક ધોરણે સન્માન કરવું. ૩. ઓનલાઈન રજીસ્ટ્રેશન: જન્મ, મરણ, લગ્ન નોંધણી અને સરનામાના ફેરફાર જેવી તમામ સેવાઓ ઓનલાઈન તથા સેવા સદન મારફતે ઉપલબ્ધ રહેશે.૬. ભારતીય ઉચ્ચ સ્તર પર સમાજનું પ્રતિનિધિત્વ (Mission High Government Posts)લાંબા ગાળાની વ્યૂહરચના (Long-Term Strategy):સ્પેશિયલ આઈએએસ/આઈપીએસ અને ગવર્નમેન્ટ પાંખ: ભારત સરકાર અને રાજ્ય સરકારની તમામ ઉચ્ચ સિવિલ સેવાઓ, સંરક્ષણ દળો (Army/Navy/Air Force), ન્યાયતંત્ર અને કોર્પોરેટ સેક્ટરમાં પાલીવાલ બ્રાહ્મણ સમાજના પ્રતિનિધિઓ પહોંચે તે માટે વિશિષ્ટ કોચિંગ સ્કોલરશિપ અને રહેવા-જમવાની સુવિધા સાથેનું માળખું તૈયાર કરવું.મિશન મલ્ટિ-સેક્ટર પ્રેઝન્સ: ભારતનું એક પણ મહત્વનું ક્ષેત્ર એવું ન હોવું જોઈએ જ્યાં પાલીવાલ બ્રાહ્મણ સમાજનો સભ્ય ઉચ્ચ હોદ્દા પર ન બેઠો હોય.૭. અમલીકરણ અને ભવિષ્યની દિશા૧. આ બંધારણની મંજૂરી બાદ તુરંત જ ભાવનગર હેડ ઓફિસ ખાતેથી કેન્દ્રીય આઈટી (IT) ટીમ દ્વારા ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. ૨. દરેક શહેર અને ગામડામાં ૫ સભ્યોની કમિટીની વિધિવત નિમણૂક કરી 'પાલીવાલ બ્રાહ્મણ સેવા સદન' કાર્યરત કરવામાં આવશે.Darshan Pandya(JALELA)
6 કલાક પેહલા